Back to News
🇮🇳
1 hours ago

75 વર્ષના ભાગવત પદ છોડવા તૈયાર:કહ્યું- 'સંઘ કહે તો પદ છોડી દઈશ; ક્ષત્રિય-બ્રાહ્મણ નહીં, કોઈ પણ હિંદુ RSS પ્રમુખ બની શકે, સાવરકરને ભારત રત્ન આપવામાં આવે '

divyabhaskar.co.in

Sunday, February 8, 2026

2 min read
75 વર્ષના ભાગવત પદ છોડવા તૈયાર:કહ્યું- 'સંઘ કહે તો પદ છોડી દઈશ; ક્ષત્રિય-બ્રાહ્મણ નહીં, કોઈ પણ હિંદુ RSS પ્રમુખ બની શકે, સાવરકરને ભારત રત્ન આપવામાં આવે '
Share:

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે જો સંઘ તેમને પદ છોડવાનું કહેશે, તો તેઓ તરત જ તેમ કરશે. સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર પછી કોઈ પદ પર ન રહેવાની પરંપરાની વાત કહેવાય છે. RSS પ્રમુખે કહ્યું કે સરસંઘચાલક બનવા માટે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે બ્રાહ્મણ હોવું કોઈ યોગ્યતા નથી....

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે જો સંઘ તેમને પદ છોડવાનું કહેશે, તો તેઓ તરત જ તેમ કરશે. સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર પછી કોઈ પદ પર ન રહેવાની પરંપરાની વાત કહેવાય છે. RSS પ્રમુખે કહ્યું કે સરસંઘચાલક બનવા માટે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે બ્રાહ્મણ હોવું કોઈ યોગ્યતા નથી. જે હિંદુ સંગઠન માટે કામ કરે છે. તે જ સરસંઘચાલક બને છે. ભાગવત રવિવારે મુંબઈમાં RSSના શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે તો તેનાથી પુરસ્કારની ગરિમા વધુ વધશે. ભાગવતની સ્પીચની 6 મોટી વાતો મોહન ભાગવતના છેલ્લા 2 મોટા નિવેદનો… 7 ફેબ્રુઆરી: ભાગવતે કહ્યું- ભારતમાં રહેતા તમામ હિંદુ, સંઘ કોઈના વિરુદ્ધ નથી સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં હિંદુ જ છે અને બીજું કોઈ નથી. તે કોઈ ખાસ વિધિ કે પ્રાર્થના સાથે જોડાયેલા ધર્મને દર્શાવતો નથી, ન તો તે કોઈ ખાસ સમુદાયનું નામ છે. RSS કોઈના વિરુદ્ધ નથી અને તેને સત્તા કે શક્તિની ઈચ્છા પણ નથી. સંઘ રાજકારણમાં સીધો સામેલ નથી, જોકે સંઘના કેટલાક લોકો રાજકારણમાં સક્રિય છે. ભાગવતે કહ્યું કે ઘણા લોકો કહે છે કે નરેન્દ્રભાઈ RSSના વડાપ્રધાન છે. તેમની રાજકીય પાર્ટી BJP અલગ છે. તેમાં ઘણા સ્વયંસેવકો છે, પરંતુ સંઘના નહીં. સંઘના સ્વયંસેવકો તેમાં છે. 2 ફેબ્રુઆરી: ભાગવત બોલ્યા- ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યાની ઓળખ કરવી સરકારની જવાબદારી RSS પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં કહ્યું કે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકોની ઓળખ કરવી અને તેમને દેશમાંથી બહાર મોકલવા એ સરકારની જવાબદારી છે. નાગરિકો આવા કિસ્સાઓની જાણ સંબંધિત અધિકારીઓને કરી શકે છે.

Read the full article

Continue reading on divyabhaskar.co.in

Read Original

More from divyabhaskar.co.in