Back to News
🇮🇳
1 hours ago

ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર, ₹2500 લાખ કરોડના માર્કેટ પર ભારતનો કબજો

divyabhaskar.co.in

Saturday, February 7, 2026

5 min read
ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર, ₹2500 લાખ કરોડના માર્કેટ પર ભારતનો કબજો
Share:

વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી 'માસ્ટરસ્ટ્રોક' ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો ...

વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી 'માસ્ટરસ્ટ્રોક' ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (આયાત ડ્યુટી) ને 50% થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે. આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. જ્યારે ચીન પર અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધો મુકાઈ રહ્યા છે, ત્યારે ભારતે કુનેહપૂર્વક રશિયા પાસેથી તેલ ખરીદવાની શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથે $500 અબજના વેપારનું નવું ફ્રેમવર્ક તૈયાર કરી લીધું છે. આ સમજૂતીથી ભારતના ખેડૂતો, એમએસએમઈ (MSMEs) અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો માટે અમેરિકાના સમૃદ્ધ બજારમાં એન્ટ્રી લેવી હવે સાવ સરળ બનશે. શુક્રવારે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરાર (ITA)નું એક માળખું બહાર પાડ્યું. આ અંતર્ગત ભારતીય સામાન પર અમેરિકાનો ટેક્સ 50% ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો 25% વધારાનો ટેક્સ પણ હટાવી લેવામાં આવ્યો છે. બંને દેશોએ જણાવ્યું કે આ માળખું જલ્દી લાગુ કરવામાં આવશે અને વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ની દિશામાં વાતચીત આગળ વધશે. ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદન મુજબ, આ માળખું 13 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થયેલી ભારત-અમેરિકા BTA વાટાઘાટોને આગળ વધારશે. આ કરારમાં આગળ જતાં બજાર પહોંચ, સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને વેપાર અવરોધો ઘટાડવા જેવી જોગવાઈઓ સામેલ હશે. આ અંતર્ગત ભારત અમેરિકન ઔદ્યોગિક વસ્તુઓ પરના તમામ ટેરિફ સમાપ્ત કરશે અથવા ઘટાડશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આ કરાર ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરના બજારને ખોલશે. તેમના મતે, MSME, ખેડૂતો અને માછીમારો સૌથી મોટા લાભાર્થી હશે અને તેનાથી મહિલાઓ અને યુવાનો માટે લાખો નવી નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ભારતે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના ઉત્પાદનો ખરીદવા સંમતિ દર્શાવી છે. મોદીએ કહ્યું- થેન્ક્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીએ આગામી ભારત-અમેરિકા વેપાર કરાર પર એક X-પોસ્ટમાં કહ્યું, "અમે અમારા બે મહાન રાષ્ટ્રો વચ્ચે વચગાળાના વેપાર કરાર માટેના માળખા પર સંમત થયા છીએ. "આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો પ્રત્યેની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું. આ ટ્રેડ ડીલ આપણી ભાગીદારીની વધતી મજબુતાઈ, વિશ્વાસ અને ગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે." “તે ભારતના મહેનતુ ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ, માછીમારો અને અન્ય લોકો માટે નવી તકો ખોલીને 'મેક ઇન ઇન્ડિયા'ને મજબૂત બનાવે છે. આનાથી મહિલાઓ અને યુવાનો માટે મોટા પાયે રોજગારની તકો પણ ઊભી થશે.” પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, 'ભારત અને અમેરિકા નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ માળખું આપણી વચ્ચે રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.' આ માળખું લવચીક અને વિશ્વસનીય પુરવઠા શૃંખલાઓને પણ મજબૂત બનાવશે અને વૈશ્વિક વિકાસમાં ફાળો આપશે. જેમ જેમ આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે ભવિષ્યલક્ષી, આપણા લોકોને સશક્ત બનાવતી અને સહિયારી સમૃદ્ધિમાં યોગદાન આપતી વૈશ્વિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. બંને દેશો નોન-ટેરિફ અવરોધો દૂર કરશે પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશોએ નિર્ણય કર્યો છે કે તેઓ તેના કેટલાક નિયમો નક્કી કરશે, જેથી આ કરારનો લાભ મુખ્યત્વે અમેરિકા અને ભારતને જ મળે, ન કે કોઈ ત્રીજા દેશને. બંને દેશો દ્વિપક્ષીય વેપારમાં આવતી નોન-ટેરિફ અવરોધોને દૂર કરવા પર કામ કરશે. ભારતે અમેરિકી મેડિકલ ડિવાઇસિસના વેપારમાં લાંબા સમયથી ચાલી આવતી અડચણોને દૂર કરવાનું વચન આપ્યું છે. સાથે જ, અમેરિકી સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી (ICT) ઉત્પાદનો માટે આયાત લાઇસન્સની પ્રક્રિયાઓને સરળ બનાવશે. ભારત એ પણ નક્કી કરશે કે કરાર લાગુ થયાના 6 મહિનાની અંદર કેટલાક પસંદગીના ક્ષેત્રોમાં અમેરિકી કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સ અને ટેસ્ટિંગ આવશ્યકતાઓને સ્વીકારી શકાય છે કે નહીં. તેનું પરિણામ સકારાત્મક રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકી ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોમાં લાંબા સમયથી મોજુદ નોન-ટેરિફ અવરોધોને પણ ભારત દૂર કરવા પર સહમત થયું છે. ભારત-અમેરિકા ભવિષ્યમાં ટેરિફમાં ફેરફાર કરી શકશે બંને દેશોએ એમ પણ કહ્યું છે કે તેઓ કેટલાક પસંદ કરેલા ક્ષેત્રોમાં પોતપોતાના નિયમો પર ચર્ચા કરશે, જેથી તેમનું પાલન કરવું સરળ બની શકે. જો ભવિષ્યમાં કોઈ દેશ નિર્ધારિત ટેરિફમાં કોઈ ફેરફાર કરે છે, તો બીજો દેશ પણ તેના વચનોમાં સુધારો કરી શકે છે. અમેરિકા અને ભારતે પૂર્ણ વ્યાપાર કરાર (BTA) ની વાતચીત દ્વારા બજાર પહોંચને વધુ વધારવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ ભારતની માંગને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે તે BTAની વાતચીત દરમિયાન ભારતીય માલસામાન પર તેના ટેરિફ ઘટાડવાની દિશામાં કામ કરશે. 500 અબજ ડોલરના મૂલ્યનો સામાન ખરીદશે ભારત ભારતે જાહેરાત કરી છે કે તે આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી કુલ 500 અબજ અમેરિકv ડોલરના મૂલ્યના ઉત્પાદનો ખરીદશે. આમાં meમેલ છે: ભારતને આ કરારથી મળનારા લાભો વાણિજ્ય મંત્રી બોલ્યા- ડીલથી કૃષિ અને ડેરી સેક્ટર સંપૂર્ણપણે સુરક્ષિત ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારમાં ભારતે પોતાના કૃષિ અને ડેરી સેક્ટરને સંપૂર્ણપણે સુરક્ષિત રાખ્યું છે. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારતે મકાઈ, ઘઉં, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ, પનીર, ઇથેનોલ (બળતણ), તમાકુ, કેટલાક શાકભાજી અને માંસ જેવા કૃષિ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણપણે સંરક્ષિત રાખ્યા છે. આ ઉત્પાદનો પર અમેરિકાને કોઈ ટેરિફ રાહત આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે આ નિર્ણય ખેડૂતોની આવક, ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્રને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે, સંયુક્ત નિવેદન અનુસાર ભારતે કેટલાક અમેરિકી કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો પર આયાત શુલ્ક નાબૂદ કરવા અથવા ઘટાડવા પર સંમતિ દર્શાવી છે. આમાં ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેન્સ, પશુ આહાર માટે રેડ સોરઘમ, ડ્રાય ફ્રુટ્સ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાબીન ઓઈલ, વાઈન અને સ્પિરિટ્સનો સમાવેશ થાય છે. ----------------------------------- આ સમાચાર પણ વાંચો… દાવો- ડોભાલની બેકડોર વાતચીત બાદ અમેરિકી ટ્રેડ ડીલ: વિદેશ મંત્રીને કહ્યું હતું- ભારત ઝૂકશે નહીં, ટ્રમ્પના હટવાની રાહ જોઈશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીન ગયા હતા, જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મૈત્રીપૂર્ણ મુલાકાત કરી હતી. તેના થોડા દિવસો પછી ભારતે અમેરિકા સાથેના બગડતા સંબંધોને સુધારવાના પ્રયાસો તેજ કર્યા.

Read the full article

Continue reading on divyabhaskar.co.in

Read Original

More from divyabhaskar.co.in